આસામમાં પાંચમાં ધોરણની બાળકી સાથે રાક્ષસી કૃત્યઃ જીવતી સળગાવવાનો હિચકારો પ્રયાસઃ બે આરોપીની ઘરપકડ.
ગુવાહાટીઃ આસામમાં પાંચમાં ધોરણની બાળકી સાથે રાક્ષસી કૃત્ય આચરવામાં આવ્યું હોવાની અને આ કૃત્ય પછી તેણીને જીવતી સળગાવવાનો હિચકારો પ્રયાસ થયાની ઘટના સામે આવી છે. નવાંગ જિલ્લાનાં ધનિયાભેતી લાલગંજ ગામમાં એક બાળકી સાથે દુષ્કર્મ કરીને તેને આગ હવાલે કરી દેવામાં આવી હતી. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસે આ મુદ્દે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ મુદ્દે બે લોકોની ધરપકડ કરી લીધી છે. જો કે બંન્ને કિશોર છે. બંન્ને કિશોરોએ પોતાનો ગુનો પણ સ્વિકારી લીધો હોવાનો પોલીસે દાવો કર્યો છે. હજી પણ એક આરોપી ફરાર છે. તેની શોધખોળ ચાલી રહી છે. પોલીસે જણાવ્યું કે, જાકીર હુસેન અને ચાર અન્ય લોકો પાંચમાં ધોરણની એક બાળકી સાથે દુષ્કર્મ આચર્યું જ્યારે તે શુક્રવારે સાંજે પોતાનાં ઘરે પરત ફરી રહી હતી. જો કે ગુનો આચર્યા બાદ પકડાઇ જવાનાં ડરનાં કારણે બાળકી પર કેરોસીન છાંટીને તેને જીવતી સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીને ગંભીર અવસ્થામાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. શનિવારે સવારે બી.પી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.પોલીસ જાકીર અને તેનાં સાથીઓની શોધખોળ કરી રહી છે. પોલીસે ત્વરીત કાર્યવાહી કરતા આરોપીઓની ધરપકડ કરી લીધી છે. બંન્ને આરોપી કિશોર છે. પોલીસે જણાવ્યું કે બંન્નેએ પોતાનાં ગુનાનો સ્વિકાર કર્યો છે.