મુખ્ય સમાચાર
News of Tuesday, 25th February 2020

દાઉદ ઇબ્રાહિમની હત્યા કરવાની છોટા રાજને યોજના બનાવી હતીઃ લાકડાવાલાનો ખુલાસો

લાકડાવાલા, તેના બે સાગરીતની ખંડણીના નવા કેસમાં ધરપકડ

મુંબઈ, તા.૨૫: ગેન્ગસ્ટર એજાઝ લાકડાવાલા, તેના બે સાગરીત તારીક પરવીન તથા સલીમ પેનવાલા ઉર્ફે સલીમ મહારાજની હવે રૂ. ૭.૫ કરોડની ખંડણીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

ત્રણેય આરોપી અન્ય કેસમાં પોલીસ કસ્ટડીમાં હોઇ રિયલ એસ્ટેટ ડેવલપરે પાયધુની પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદને આધારે નવો ગુનો દાખલ કરાયો હતો.

ફરિયાદમાં જણાવાયું હતું કે ડેવલપરને લાકડાવાલાએ ફોન કર્યો હતો અને પૈસાની માગણી કરી હતી અથવા સસ્તામાં મિલકત આપવાનું કહ્યું હતું.

ફરિયાદીએ જણાવ્યું હતું કે લાકડાવાલાના ફોન આવવાના શરૂ થયા એ દિવસે તારીક પરવીને તેનો સંપર્ક સાધ્યો હતો. તપાસમાં જણાયું હતું કે સલીમ પેનવાલાએ ડેવલપરની માહિતી ગેન્ગસ્ટર સુધી પહોંચાડી હતી. પાયધુનીમાં નોંધાયેલા નવા કેસમાં હવે ત્રણેય જણની ધરપકડ કરવામાં આવી હતી, એમ પોલીસે કહ્યું હતું.

(10:11 am IST)