બોનીકપુરના બંને પત્નીઓના મૃત્યુમાં અજબનો યોગાનુયોગ:સંતાનોની ડેબ્યુ ફિલ્મ પહેલા જ માતાનું નિધન
અર્જુનની ફિલ્મ ઈશ્કઝાદે મે, 2012માં રીલિઝ થાય ત્યાર પહેલા 25 માર્ચ 2012ના મોના કપૂરે અંતિમ શ્વાસ લીધા : જાહ્નવીની ડેબ્યુ ફિલ્મ ધડક જુલાઈ, 2018માં રીલિઝ થાય એ પહેલા શ્રીદેવીનું નિધન
મુંબઈ :બોનીકપુરના બંને પત્નીઓના મોતમાં અજબનો યોગાનુયોગ સર્જાયો હતો શ્રીદેવી બોની કપૂરના ભત્રીજા મોહિત મારવાહના લગ્ન અટેન્ડ કરવા માટે દુબઈ ગયા હતા અને ત્યાં હાર્ટ અટેકને કારણે તેમનું નિધન થયું હતું શ્રીદેવી અને બોની કપૂરનાં પહેલા પત્ની મોના કપૂરના નિધનમાં એક અજબ સમાનતા સામે આવી છે.
શ્રીદેવીના મૃત્યુને કારણે જે દુ:ખની ઘડીમાંથી અત્યારે જાહ્નવી કપૂર પસાર થઈ રહી છે તેવી જ સ્થિતિ 2012માં તેના સાવકા ભાઈ અર્જુન કપૂરની થઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે જાહ્નવીની ડેબ્યુ ફિલ્મ ધડક જુલાઈ, 2018માં રીલિઝ થવાની છે. ધડકના શૂટિંગમાં વ્યસ્ત હોવાને કારણે જ જાહ્નવી દુબઈ લગ્નમાં નહોતી જઈ શકી. બોની કપૂર અને મોના કપૂરના દીકરા અર્જુન કપૂરની 2012માં ઈશ્કઝાદે ડેબ્યુ ફિલ્મ રીલિઝ થવાની હતી, પરંતુ મોના કપૂર પણ રીલિઝ પહેલા જ મૃત્યુ પામ્યા હતા.
અર્જુનની ફિલ્મ 11 મે, 2012ના રોજ રીલિઝ થઈ હતી, પરંતુ 25 માર્ચ 2012ના રોજ મોના કપૂરે અંતિમ શ્વાસ લીધા હતા. શ્રીદેવીના મૃત્યુ પછી કહેવામાં આવી રહ્યું છે કે, બોની કપૂરની બન્ને પત્નીઓનું નિધન તેમના બાળકોની ડેબ્યુ ફિલ્મ પહેલા જ થઈ ગયું.
જુલાઈમાં રીલિઝ થનારી જાહ્નવી કપૂરની ફિલ્મ ધડક સુપરહિટ મરાઠી ફિલ્મ સૈરાટની રીમેક છે. તે ફિલ્મમાં તેનો કો-સ્ટાર ઈશાન ખટ્ટર છે. ધડક ફિલ્મ કરણ જોહર પ્રોડ્યુસ કરી રહ્યો છે અને તેના ડિરેક્ટર શશાંક ખૈતાન છે.