મુખ્ય સમાચાર
News of Tuesday, 25th January 2022

કાશ્મીરમાં આતંકવાદીઓનો ખાત્મો બોલાવવાની સંખ્યા વધી છે છતાં પણ આતંકવાદી બનવાનું ઝૂનૂન ઓછંુ થયુ નથી

 

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ, તા. ૨૫ ઃ. કાશ્મીરમાં છેલ્લા ૧ વર્ષમાં ૨૦૦થી વધુ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે છતાં પણ કાશ્મીરમાં આતંકવાદી બનવાનું ઝૂનૂન ઓછુ થયુ નથી.

સેના દ્વારા જણાવાયુ છે કે, ૨૦૨૦માં ઘુસણખોરીની ૩૬ ઘટનાઓ નિષ્ફળ બનાવાઈ છે. જ્યારે ૪ ઘટનાઓમાં ઘુસણખોરો ઝડપાયા છે. ૨૦૨૧માં ૩૧ વખત ઘુસણખોરીની ઘટનાઓ બની હતી. આવી રીતે આતંકવાદીઓને ભરી પીવા સેના સજ્જ છે. તેમ છતા પણ આતંકવાદી બનીને દેશ વિરોેધી પ્રવૃત્તિ કરવા માટે અનેક યુવાનો એ દિશામાં આગળ વધ્યા છે.

(4:24 pm IST)