મુખ્ય સમાચાર
News of Tuesday, 25th January 2022

૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા કેસોમાં ૧૬ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો: મૃત્યુઆંક વધ્યો, ૬૧૪ થયો

મંગળવારે ભારતમાં કોરોના વાયરસના નવા કેસોમાં ૧૬.૪  ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨,૫૫,૮૭૪  નવા કોરોના કેસ નોંધાયા છે. સોમવારે ૩,૦૬,૦૬૪ નવા કેસ નોંધાયા હતા. જ્યારે મૃત્યુનો આંકડો વધ્યો છે અને ૨૪ કલાકમાં ૬૧૪ ના મૃત્યુ થયા છે. જ્યારે ૬૨ લાખ લોકોને રસી આપવામાં આવી છે

(11:25 am IST)