મુખ્ય સમાચાર
News of Tuesday, 25th January 2022

૨૦૨૪માં ભાજપને કઇ રીતે હરાવી શકાય? પ્રશાંત કિશોરે સૂચવી ત્રણ સૂત્રી ફોર્મ્યુલા

ભાજપે હિન્દુત્વ, ચરમ રાષ્ટ્રવાદ અને લોક કલ્યાણકારી નીતિઓનું માળખુ તૈયાર કર્યુ છે તેને ધ્વસ્ત કરો કે તેને હંફાવો તો વિજય શકય

નવી દિલ્હી તા. ૨૫ : ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીની સંભાવનાઓ વિશે ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય આપ્યો છે. પ્રશાંત કિશોરે કહ્યું કે ભાજપે હિંદુત્વ, રાષ્ટ્રવાદ અને લોક કલ્યાણની નીતિઓનું મજબૂત નેરેટિવ તૈયાર કર્યું છે અને વિપક્ષી પાર્ટીઓએ આમાંથી ઓછામાં ઓછા બે મોરચે ભાજપને હરાવવી પડશે. તેમણે કહ્યું કે તેઓ એવો વિપક્ષી મોરચો બનાવવામાં મદદ કરવા માંગે છે, જે ૨૦૨૪માં ભાજપને હરાવી શકે. જો આવતા મહિને યોજાનારી વિધાનસભા ચૂંટણીના પરિણામો – જેને સેમિ-ફાઇનલ તરીકે જોવામાં આવે છે તે પ્રતિકૂળ હોય તો પણ બીજેપીને હરાવી શકાય છે.

પ્રશાંત કિશોરે એનડીટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીમાં બીજેપીને હરાવવી શકય છે. પરંતુ શું વિપક્ષની હાલની પરિસ્થિતિ મુજબ ભાજપને હરાવી શકાય છે. કદાચ નહીં હું એવો વિપક્ષ બનાવવામાં મદદ કરવા માંગુ છું, જે ૨૦૨૪માં ભાજપને મજબૂત લડત આપી શકે.

પ્રશાંત કિશોરે ફરી એકવાર લોકસભાની તે ૨૦૦ બેઠકોનો ઉલ્લેખ કર્યો જયાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે અને જયાં ભાજપે છેલ્લી બે ચૂંટણીઓમાં આમાંથી ૯૫ બેઠકો જીતી છે, જેનો અર્થ ૧૯૦ બેઠકો થાય છે. ૪૫ વર્ષીય પ્રશાંત કિશોર પોતાને રાજકીય સલાહકાર તરીકે રજૂ કરવાનું પસંદ કરે છે. પ્રશાંત કિશોરે કહ્યું કે, જે પણ પાર્ટી કે નેતા ભાજપને હરાવવા માંગે છે, તેણે ઓછામાં ઓછા ૫-૧૦ વર્ષ માટે રણનીતિ તૈયાર કરવી પડશે. આ ૫ મહિનામાં થઈ શકે નહીં.

પ્રશાંતે કહ્યું કે પશ્યિમ બંગાળની ચૂંટણી પછી લગભગ પાંચ મહિના સુધી ચાલેલી વાતચીત છતાં કોંગ્રેસ સાથે ભાગીદારી કરવાના તેમના પ્રયાસો નિષ્ફળ ગયા. તેમણે કહ્યું, 'અન્ય લોકો માટે સ્વાભાવિક લાગે છે કે પ્રશાંત કિશોર અને કોંગ્રેસે સાથે મળીને કામ કરવું જોઈએ, પરંતુ બંને પક્ષોએ આત્મવિશ્વાસ સાથે એક પગલું આગળ વધવું પડશે. પરંતુ કોંગ્રેસ સાથે આવું થઈ શકયું નથી.'

કોંગ્રેસને એક વિચારના રૂપમાં નબળી થતાં દેખી શકાય નહીં. તેની મજબૂતી લોકશાહીના હિતમાં છે. જયારે કોંગ્રેસમાંથી મોટા પ્રમાણમાં નેતાઓ તૃણમૂલમાં જવાના પ્રશ્ન પર પ્રશાંત કિશોરે કહ્યું- બંગાળ ચૂંટણી પછી પાર્ટીના વિસ્તાર માટે તૃણમૂલ કોંગ્રેસ અને ઈન્ડિયન પોલિટિકલ એકશન કમિટી ( I-PAC) વચ્ચે એક સહમતિ બની છે. કેટલાક અવસરો પર જયારે તેમણે મારી જરૂરત હોય છે તો હું ઉપલબ્ધ રહું છું.'

(10:44 am IST)