News of Monday, 25th January 2021
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને મરણોપરાંત પદ્મભૂષણ:મહેશ - નરેશ કનોડિયાને મરણોપરાંત પદ્મશ્રી
8 મહાનુભાવોને પદ્મવિભૂષણ, 10 મહાનુભાવોને પદ્મ ભૂષણ અને 102 મહાનુભાવોને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાશે
નવી દિલ્હી : દેશના 72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે.સાંજે પદ્મ પુરસ્કારની જાહેરાત કરાઈ છે. જે મુજબ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઈ પટેલને મરણોપરાંત પદ્મભૂષણ અને સ્વ.મહેશ - સ્વ.નરેશ કનોડિયાને મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડ અપાશે. જ્યારે દાદુદાન ગઢવી અને ચંદ્રકાન્ત મહેતાને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાશે.
આજે જાહેર કરાયેલી યાદીમાં 8 મહાનુભાવોને પદ્મવિભૂષણ, 10 મહાનુભાવોને પદ્મ ભૂષણ અને 102 મહાનુભાવોને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે
(9:49 pm IST)