News of Monday, 25th January 2021
નવી દિલ્હીમાં પ્રજાસતાક પર્વની ઉજવણીમાં ગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા મોઢેરાના સૂર્ય મંદિરને રજૂ કરતો આબેહૂબ ટેબ્લો
રાજકોટ : ભારતના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે નવી દિલ્હીના રાજમાર્ગ પરથી પસાર થનાર રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા મોઢેરાના સૂર્યમંદિરને રજૂ કરતો આબેહૂબ ટેબ્લો રજૂ કરવામાં આવનાર છે. આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ટેબ્લોના તમામ કલાકારોને પોતાના નિવાસસ્થાને આમંત્રણ આપ્યું હતું. પ્રસ્તુત તસ્વીરમાં વડાપ્રધાનશ્રી અને કેન્દ્રીય મંત્રીશ્રીઓ સાથે ટેબ્લોમાં ટિપ્પણી નળત્ય રજૂ કરનાર ગુજરાતી મહિલા કલાકારો,નાયબ માહિતી નિયામક શ્રી પંકજ મોદી અને ટેબ્લો નિર્માણ કરનાર સ્માર્ટ ગ્રાફ આર્ટ એડવર્ટાઇજીંગ પ્રા.લી.ના શ્રી સિધ્ધેશ્વર કાનુગા પણ નજરે પડે છે.
(3:55 pm IST)