૨૫ જાન્યુઆરી
આજના દિવસનું મહત્વ
દોસ્તો, ૨૬ જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ આપ સૌને ખૂબ- ખૂબ અભિનંદન. વંદેમાતરમ્...
૧૯૭૧ની સાલમાં આજના દિને હિમાચલ પ્રદેશને પૂર્ણ રાજય ઘોષિત કરાયું હતું.
૨૦૧૦ની સાલમાં આજના દિને બગદાદમાં ત્રણ બસમાં વિસ્ફોટો થયા હતા. જેમાં ૩૬ના મોત થયા હતા.
૧૯૫૦ની સાલમાં આજના દિને ચૂંટણી પંચની સ્થાપના થઈ હતી. આ દિવસને મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. લોકશાહીમાં મતદાર સૌથી મોટી શકિત ધરાવે છે. આપણે આપણી મત- શકિતનો સમજદારીથી ઉપયોગ કરીએ તેવી શુભેચ્છા.
૨૦૦૫ની સાલમાં મહારાષ્ટ્રના સતારામાં ભયાનક ઘટના બની હતી. મંઢેર દેવી મંદિરે ભાગદોડમાં ૩૦૦ લોકોના મોત થયા હતા.
આજે ગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિનો જન્મ દિન છે. તેમનો જન્મ ૧૯૫૮માં થયો હતો.
૧૯૮૩માં આજના દિને વિનોબા ભાવેને મરણોપરાંત ભારત રત્ન સન્માન અપાયું હતું.
૧૯૭૪ની સાલમાં અનાજની તંગી અને બેફામ ભાવ વધારાના કારણે આજના દિને ગુજરાતમાં હિંસક દેખાવો થયા હતા.
૧૯૭૧માં આજના દિને યુગાન્ડામાં સેના પ્રમુખ ઈદી અમીને રાષ્ટ્રપતિ પાસેથી સત્તા છીનવીને પોતે ખુરશી પર બેસી ગયા હતા.આજે રાષ્ટ્રીય પર્યટન દિવસ છે. ફરે તે ચરે.
આજે ગીત- સંગીતના સાધક પંડિત ભીમસેન જોશીની પુણ્યતિથિ છે, તેમનું નિધન ૨૦૧૧ની સાલમાં થયું હતું.