ધારા ૩૭૦ ના ખત્મ કર્યા પછી કાશ્મીરમાં શાનથી લહેરાશે ત્રિરંગોઃ શાનદાર ગણતંત્ર દિવસ મનાવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઘોષણા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સતત દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરી રહ્યા છે આ સિલસિલામાં એક રેલીને સંબોધિત કરતા શાહએ કહ્યું કે ધારા ૩૭૦ હટયા પછી પ્રથમ વખત કાશ્મીર ખુલ્લા મન અને જોશથી ગણતંત્ર દિવસ શાનથી ત્રિરંગો લહેરાવશે. એમણે સભામા હાજર લોકોને કહ્યું જોરથી ભારત માતાની જય બોલો જેથી શાહીનબાગ સુધી આ અવાજ પહોંચે દિલ્લીમાં રેલીઓને સંબોધિત કરવાના ક્રમમાં અમિત શાહની આ બીજી રેલી હતી જે બાદલી વિધાનસભા આયોજીત હતી.
અમિત શાહએ લોકોને સંબોધન કરતા કહ્યું કે આઠ ફેબ્રુઆરીના દિલ્લીમાં થનારૂં આ ચૂંટણી મતદાન દિલ્લીનું નહી પણ પુરા દેશનું ભવિષ્ય નકકી કરશે.
કેજરીવાલ પર જોરદાર હુમલો કરતા શાહએ કહ્યું તે અને તેમની કંપની ખોટા વાયદા કરતી રહી અને દિલ્લીને ૧૦ વર્ષ પાછળ ધકેલી દીધું.