નોઇડાને કોરી ખાતો કોરોના : આર્થિક તંગીએ મોં ફાડતા લોકો મરવા માટે બની રહ્યા છે મજબુર
૨૪ કલાકમાં મહિલા સોફટવેર એન્જીનીયર સહીત ૪ લોકોએ કરી આત્મ હત્યા
નવી દિલ્હી તા. ૨૪ : નોઇડાના વીઆઇપી ગણાતા સેકટર ૨૦ માં એક મહિલા સોફટવેર એન્જીનીયર સહીત ૨૪ કલાકમાં ૪ લોકોએ આત્મ હત્યા કરી લેતા અરેરાટી પ્રસરી છે. મોત વહાલુ કરવા પાછળનું કારણ બિહામણો કોરોના છે. કોરોનાના કહેરથી સર્જાયેલ આર્થિક તંગી ભલભલાને થથરાવી રહી છે.
પોલીસે ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમમાં મોકલી તપાસ આદરી છે. મળતી જાણકારી મુજબ શીલ્પા (રપ) એ સોમવારે પોતાના ઘરમાં પંખા સાથે ફાંસો લગાવી લીધો હતો. એજ રીતે ગ્રેટર નોઇડાના ઇકોટેક-૩ ના કોટવાળી એરીયાના જલપુરા ગામમાં રહેતી રાજેશ્વરીએ ઝેર ગટગટાવી મોત વહાલુ કર્યુ હતુ. જેવર વિસ્તારના ગામની બીનાએ પણ માનસીક તણાવ સહન ન થતા આત્મ હત્યા કરી લીધી હતી. તમામ આત્મ હત્યાઓનું કારણ કોરોનાના કારણે સર્જાયેલ આર્થિક તંગી હોવાનું સામે આવ્યુ છે. જો કે પોલીસે વિધિવત કાગળો કરી તપાસ આદરી છે.