News of Saturday, 24th October 2020
અયોધ્યામાં દિવાળીની પુર્વ સંધ્યાએ દિપોત્સવઃ લાખો દિવડાથી ઝગમગશે
અયોધ્યા : છેલ્લા ત્રણ વર્ષોથી અયોધ્યામાં આયોજીત થતો દીપોત્સવ કાર્યક્રમ આ વર્ષે પણ યોજાશે. જેના માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. યુપી સરકારે દિપોત્સવને રાજય મેળાનો દરજજો આપ્યો છે. કોરોનાને કારણે લોકોની સંખ્યા ઓછી રહેશે. ર૦૧૭માં શરૂ થયેલ આયોજનમાં પહેલા વર્ષે ૧.૭૬ લાખ, ર૦૧૯માં વર્લ્ડ રેકોર્ડ બનાવવાની સાથે પ.પ૧ લાખ દીવા પ્રગટાવવામાં આવેલ. સરકારના પ્રવકતા શ્રીકાંત શર્માના જણાવ્યા મુજબ ર૦૧૯માં દીપોત્સવ માટે લગભગ ૧.૩૩ કરોડ રૂપીયા ખર્ચ થયેલ.
(3:10 pm IST)