News of Saturday, 24th October 2020
વડાપ્રધાન સહિત દેશના ટોચના મહાનુભાવો માટે 'એર ઇન્ડિયા વન'નું બીજું વિમાન ભારત આવવા રવાના
નવી દિલ્હી,તા. ૨૪: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવો માટે 'એર ઇન્ડિયા વન'નું બીજું બ્રાન્ડ ન્યુ સુપર ડુપર લકઝુરિયસ અને સલામતીની સર્વોચ્ચ સુવિધાઓ સાથેનું અતિઆધુનિક એર ક્રાફ્ટ ભારત આવવા રવાના થઈ ગયું છે. આમ દેશના ટોચના મહાનુભાવો માટે હવે 'એર ઇન્ડિયા વન'ના ૨ જેટ વિમાનો સેવામાં કાર્યરત રહેશે. અમેરિકાના પ્રમુખ માટે જે સુવિધા અને સલામતી સાથેના વિમાનો તૈનાત રાખવામાં આવે છે તેવા જ અને કદાચ તેથી પણ વધુ સુરક્ષા ધરાવતા આ વિમાનો હવે ભારતના દિગ્ગજો માટે સુરક્ષા સાથે સેવા આપશે.(ન્યૂઝફર્સ્ટ)
(11:30 am IST)