News of Wednesday, 23rd October 2019
મહારાષ્ટ્રમાં ભાજપ શિવસેનાના સહકાર વિના સરકાર બનાવી નહીં શકે
શિવસેના 100થી વધુ બેઠકો પર જીતશે ;સંજય રાઉતનો દાવો
મુંબઈ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામના એક દિવસ પહેલા શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે શિવસેનાના સમર્થન વિના બીજેપી પ્રદેશમાં સરકાર બનાવવામાં સક્ષમ નહીં હોય, ભલે શિવસેનાને 4-5 બેઠકો પર જ જીત મળે.
એક સ્થાનિય સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં વરિષ્ઠ શિવસેના નેતાએ દાવો કર્યો કે તેમની પાર્ટીએ જે 124 બેઠકો પર ચૂંટણી લડી હતી. તેમાંથી તે 100 બેઠકો પર જીત મેળવવામાં સફળ થશે.
રાઉતે કહ્યું કે મારુ માનવું છે કે શિવેસના 100 બેઠકો પર જીત મેળવશે અને બીજેપી-શિવેસના ગઠબંધન આ વિધાનસભા ચૂંટણીમાં 200થી વધારે બેઠકો જીતશે. શિવસેનાએ 2014ની વિધાનસભા ચૂંટણીમાં 62 બેઠકો પર જીત નોંધાવી હતી.
(12:18 am IST)