News of Wednesday, 24th October 2018
વડાપ્રધાનના વિદેશ પ્રવાસથી દેશને શું ફાયદો થયો ?: શિવસેનાના પ્રહાર
મુંબઈ ;મહારાષ્ટ્રમાં ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાએ કહ્યું કે, મોદીએ છેલ્લા ચાર વર્ષમાં અનેક વિદેશ પ્રવાસો કર્યા પણ તેનાથી દેશને શું ફાયદો થયો? શિવસેના ભારતીય જનતા પાર્ટીનો કેન્દ્રમાં અને મહારાષ્ટ્રમાં સાથી પક્ષ છે.
શિવ સેનાએ મોદી પર ટોણો મારતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિદેશ પ્રવાસે જવાના અગાઉના તમામ રેકોર્ડ્સ તોડી નાંખ્યા છે. પણ સવાલ એ થાય છે કે, આ પ્રવાસથી દેશને મળ્યું શું ? પાડોશી દેશો આપણને ગાંઠતા જ નથી ત્યારે આવા વિદેશ પ્રવાસનો મતલબ શું હતો
(9:45 pm IST)