મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd October 2018

મુંદ્રાના છસરા ગામે જૂથ અથડામણ : છ લોકોના મોત :અંગત અદાવતમાં ખેલાયા ખૂની ખેલ:પોલીસનો મોટો કાફલો પહોંચ્યો

 

કચ્છનાં મુંદ્રા નજીક આવેલા છસરા ગામે જૂથ અથડામણમાં છ લોકોના મોત થયાના અહેવાલ મળે છે જૂની અદાવતમાં થયેલી જૂથ અથડામણમાં 6 લોકોની હત્યા થઈ છે. નાના એવા ગામમાં ખૂની ખેલ ખેલાતા હાહાકાર મચી ગયો છે.

   ઘટનાની જાણ થતાં જ આઇજી ધર્મેન્દ્ર વાઘેલા પોતાના કાફલા સાથે ગામમાં પહોંચી ગયા હતા.  ભુજનાં SP ભરાડા પણ ગામમાં પોતાની ટીમ સાથે પહોંચી ગયા હતા.

   જાણવા મળતી વિગત તીક્ષ્ણ હથિયારોથી બન્ને જૂથોનાં લોકોએ એકબીજા પર હુમલા કર્યા હતા. જૂથ અથડામણમાં 6નાં મોતના પગલે બીજી કોઈ ઘટના ન ઘટે એટલાં માટે પોલીસે ગામમાં અને ગામની આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. તેમ ZEE-24 કલાકનો અહેવાલ મળે છે.

(12:52 am IST)