News of Friday, 24th September 2021
હવે રાત્રીના 12થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ : કર્ફ્યુમાં એક કલાકની છુટ અપાશે :શેરી ગરબાને આપવામાં આવશે મંજૂરી
ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર રવામાં આવશે જાહેરાત, કલબ પાર્ટીપ્લોટમાં ગરબા નહિ યોજાઈ
અમદાવાદ : રાજયના મહાનગરોમાં અમલી રાત્રી કર્ફ્યુમાં મોટી રાહત અપાશે હવે રાત્રીના 12થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે કર્ફ્યુના સમયમાં એક કલાકની છુટ અપાશે આ ઉપરાંત શેરી ગરબાને પણ મંજૂરી આપવામાં આવશે આ અંગે ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે કલબ પાર્ટીપ્લોટમાં ગરબા નહિ યોજાઈ તેમ જાણવા મળે છે
(6:24 pm IST)