News of Thursday, 24th September 2020
વડાપ્રધાને જાહેર કર્યું ફિટનેસનું રહસ્ય
વડાપ્રધાન મોદીની તંદુરસ્તીનું રહસ્ય છે સરગવાના પાનથી બનેલા પરોઠા
પીએમ સપ્તાહમાં બે વખત આની ભાજીના પરોઠા ખાય છે : માતાને ફોન કરૃં છું તો પૂછે છે કે હળદર લીધી કે નહિ
પીએમ મોદીએ જણાવ્યું કે, તેઓ સ્વસ્થ રહેવા માટે સરગવાના પાનના બનેલા પરોઠા બનાવીને ખાય છે. પીએમ મોદીએ જણાવ્યું કે, તેઓ સપ્તાહમાં એક કે બે વાર તેને ખાય છે, તેઓએ કહ્યું કે, તેઓ લોકો માટે આ રેસિપીને શેર કરશે. આ ઉપરાંત પીએમ મોદીએ ન્યુટ્રિશનિસ્ટ રૂજુલા દિવેકર સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, આ કોરોના કાળમાં તેમની માતા સાથે સપ્તાહમાં ૨-૩ વાર વાત કરે છે. જ્યારે પણ માતાને ફોન કરૃં છું તો તેઓ પૂછે છે કે હળદર લીધી કે નહિ.
(3:40 pm IST)