કાશ્મીરમાં વધુ એક ભાજપ નેતાની હત્યા:આતંકીઓ દ્વારા સરપંચને ઘરે ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યા
ખાગ બડગામના બીડીસીના અધ્યક્ષ ભૂપિન્દર સિંહની હત્યા
જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં આતંકીઓ દ્વારા બીજેપીના અન્ય એક સરપંચની હત્યા કરવામાં આવી છે. ખાગ બડગામના બીડીસીના અધ્યક્ષ ભૂપિન્દર સિંહની આતંકીઓએ તેમના ઘરે ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
આતંકવાદીઓ દ્વારા એક પછી એક ભાજપના પ્રતિનિધિઓને નિશાન બનાવવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન, ભાજપના ઘણા સરપંચો કાં તો માર્યા ગયા છે અથવા હુમલો કરવામાં આવ્યા છે.
ગયા મહિનાની શરૂઆતમાં સરપંચ સજ્જાદ અહમદ ખાંડેની પણ ઘર નજીક આતંકીઓએ હત્યા કરી હતી. સરપંચ સજ્જાદ અહેમદ ખાંડેની 6 ઓગસ્ટે હત્યા કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, ખાંડે અને અન્ય ઘણાં સરપંચો સ્થળાંતર શિબિરમાં રોકાયા હતા. જો કે, તેણે તેના ઘરે જવાનું નક્કી કર્યું અને વેસુ માટે રવાના થઈ ગયો. જ્યારે તે તેના ઘરથી માત્ર 20 મીટર દૂર હતો ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.