News of Wednesday, 23rd September 2020
છતીસગઢમાં કરંટ લાગવાથી હાથીનું મોત : છેલ્લા ૪ મહિનામાં ૯ મું મોત થયું
છતીસગઢમાં રાયગઢના ધરમજયગઢ વન પ્રભાગમાં અેક જંગલી હાથીનું કરંટ લાગવાથી મોત થયું છે. રાજયમાં છેલ્લા ૪ મહિનામાં આ હાથીઓનું ૯મું મોત છે. રિપોર્ટસના અનુસાર હાથીનું શબ અેક ખેતરમાંથી મળ્યું અને ખેતરના માલિકઅે બોરવેલ ચલાવવા માટે વિજળીનો તાર બિછાવેલ હતો.
(12:47 am IST)