મુખ્ય સમાચાર
News of Thursday, 24th September 2020

કોરોના સંક્રમિત દિલ્હીના ડે,સીએમ મનીષ સિસોદિયા LNJP હોસ્પિટલમાં દાખલ થયા

14 સપ્ટેમ્બરે રિપોર્ટ પોઝિટિવ આવતા ઘરેથી જ સારવાર લેતા હતા : તાવની ફરિયાદ બાદ હોસ્પિટલાઇઝ કરાયા

નવી દિલ્હી : દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સારવાર માટે દિલ્હીના LNJP હોસ્પિટલમાં દાખલ થયા છે, મનીષ સિસોદિયા 14 સપ્ટેમ્બરના રોજ તેમનો કોરોના વાયરસના સંક્રમણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ત્યારબાદ ઘરેથી જ તેમની સારવાર ચાલી રહી હતી પરંતુ આજે LNJP હોસ્પિટલમાં દાખલ કરાયા છે  પ્રાપ્ય જાણકારી પ્રમાણે, મનીષ સિસોદિયાએ હળવો તાવ આવ્યાની ફરિયાદ કરી હતી જ્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

14 સપ્ટેમ્બરના રોજ મનીષ સિસોદિયાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે, હળવો તાવ આવ્યા બાદ આજે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મેં મારી જાતને સેલ્ફ આઈસોલેશનમાં રાખ્યો છે. હાલમાં મને તાવ કે અન્ય કોઈ તકલીફ નથી હું એકદમ સ્વસ્થ્ય છે. તમારા બધાના આશીર્વાદથી ખૂબ જ જલ્દીથી પૂર્ણ સ્વસ્થ થઈને કામ પર પરત ફરીશ

(11:13 pm IST)