News of Tuesday, 24th September 2019
હરીયાણાની ચુંટણીમાં ભાજપના એક તૃતીયાંસ ધારાસભ્યોની ટીકીટ ઉપર લટકતી તલવાર
હરીયાણા, તા., ર૪: આગામી વિધાનસભાની ચુંટણીમાં ભાજપના લગભગ ૧/૩ ધારાસભ્યોની ટીકીટ ઉપર તલવાર લટકી રહી છે. રણનીતી અંતર્ગત કેટલાક ધારાસભ્યોની સીટો બદલી શકે છે. જે હારના ડરથી સીટ બદલવા માંગતા હોય તેવા નેતાઓ કે મંત્રીઓને રાહત મળવાની શકયતા ઓછી છે. જાટ અને મુસ્લીમ બહુમતીવાળા ક્ષેત્રોમાં કેટલાક નેતાઓ વિધાનસભા સીટ બદલવાની કોશીષ કરી રહયા છે.
(3:27 pm IST)