મુખ્ય સમાચાર
News of Monday, 24th September 2018

આયુષ્માન ભારત યોજનાથી પાંચ રાજ્યો અળગા; કહ્યું અમારે ત્યાં પહેલાથી જ સારી યોજના ચાલે છે

 

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મહત્વકાંક્ષી અને દુનિયાની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના 'આયુષ્માન ભારત' થી દેશના પાંચ રાજ્યોએ પોતાને અળગા રાખ્યા છે. પાંચ રાજ્યો તેલંગાના, ઉડીસા, દિલ્હી, કેરળ અને પંજાબનો સમાવેશ થાય છે

  રાજ્યોનું કહેવુ છે કે તે ત્યાં સુધી યોજનાનો હિસ્સો નહિ બને જ્યાં સુધી તેમને આનાથી સારી યોજના મળી જાય. તેમનું કહેવુ છે કે ત્યાં પહેલેથી સારી યોજનાઓ ચાલી રહી છે.

(11:27 pm IST)