News of Monday, 24th September 2018
આયુષ્માન ભારત યોજનાથી પાંચ રાજ્યો અળગા; કહ્યું અમારે ત્યાં પહેલાથી જ સારી યોજના ચાલે છે
નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મહત્વકાંક્ષી અને દુનિયાની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના 'આયુષ્માન ભારત' થી દેશના પાંચ રાજ્યોએ પોતાને અળગા રાખ્યા છે. આ પાંચ રાજ્યો તેલંગાના, ઉડીસા, દિલ્હી, કેરળ અને પંજાબનો સમાવેશ થાય છે
આ રાજ્યોનું કહેવુ છે કે તે ત્યાં સુધી આ યોજનાનો હિસ્સો નહિ બને જ્યાં સુધી તેમને આનાથી સારી યોજના મળી ન જાય. તેમનું કહેવુ છે કે ત્યાં પહેલેથી જ સારી યોજનાઓ ચાલી રહી છે.
(11:27 pm IST)