મુખ્ય સમાચાર
News of Saturday, 24th July 2021

ઘરમાંથી જ એક-બે નહીં પણ એકસાથે 41 સાપ નીકળ્યા : હજુ વધુ સાપ હોવાની ગ્રામજનોને શંકા

ઉત્તરપ્રદેશના કુશીનગર જિલ્લામાં દિલના ધબકારા વધારી દેતી ઘટના

ઉત્તરપ્રદેશના કુશીનગર જિલ્લામાં દિલના ધબકારા વધારી દેતી ઘટના સામે આવી છે.અહીં એક ઘરમાંથી જ એક-બે નહીં પણ એકસાથે 41 સાપ નીકળ્યા હતા. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જાગી છે ઘરમાંથી એક બાદ એક કોબ્રા સાપ નીકળતા ગામમાં પણ દહેશત ફેલાઈ ગઈ હતી. જો કે આ કોબ્રાને લોકોએ મારી દીધા હતા. અને હજુ પણ કોબ્રા હોવાની આશંકાએ લોકોમાં ભયનો માહોલ છે.

ઉત્તરપ્રદેશના કુશીનગરના રામકોલા તાલુકાના અમડરિયા ગામનો આ બનાવ છે. અહીં રહેતા વિનોદ ગુપ્તાના ઘરમાંથી એક બાદ એક ઝેરીલા કોબ્રા સાપ નીકળ્યા હતા. જેના કારણે આસપાસમાં રહેતાં લોકોમાં પણ ડર ફેલાયો હતો. શુક્રવારે પણ વિનોદના ઘરમાંથી 3 કોબ્રા સાપ નીકળ્યા હતા. અને તમામને વિનોદે મારી દીધા હતા. જો કે શનિવારે વધુ એક કોબ્રા સાપ આવતાં નીકળતાં વિનોદને શંકા ગઈ કે ઘરમાં હજુ વધારે કોબ્રા હોઈ શકે છે. જે બાદ તેણે જમીન ખોદી હતી. પછી તેણે જે દ્રશ્યો તે જોઈને તેના હોંશ ઉડી ગયા. કેમ કે એકબાદ એક 41 કોબ્રાથી વધારે સાપ અને અંડા મળ્યા હતા.

આ વાત આખા ગામમાં વાયુવેગે ફેલાઈ હતી. આ મામલે વિનોદે વન વિભાગને પણ જાણ કરી હતી. જો કે કોઈ સહાયતા ન મળતા સાપોને મારી દેવામાં આવ્યા હતા. અને દફન કરી દેવામાં આવ્યા હતા. જો કે ઘરમાંથી સાપ નીકળતા ગુપ્તા પરિવાર દહેશતમાં છે. અને સાપને કારણે ગમે ત્યારે કાંઈ પણ થઈ શકે છે તેવો ડર તેમને સતાવી રહ્યો છે.

(11:10 pm IST)