મુખ્ય સમાચાર
News of Saturday, 24th July 2021

કેરળમાં કોરોનાનો વધતો કહેર : દેશમાં નવા 39.439 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 35.038 દર્દીઓ રિકવર થયા : વધુ 536 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.20.038 થયો :એક્ટીવ કેસ 4.03.346 થયા : કુલ કેસની સંખ્યા 3.13.31.145 થઇ

સૌથી વધુ કેરળમાં 17518 કેસ, મહારાષ્ટ્ર્રમાં 6753 કેસ,આંધ્રપ્રદેશમાં 1747 કેસ, તામિલનાડુમાં 1830 કેસ,ઓરિસ્સામાં 1917 કેસ,આસામમાં 1621 કેસ, કર્ણાટકમાં 1705 કેસ,મણિપુરમાં 1284 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  આજે દેશમાં કોરોનાનાં નવા 39.439 કેસ નોંધાયા છે. જ્યારે 38.793 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 39.439 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 536 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.20.038 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 30.439 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 3.13.13.145 થઇ છે  એક્ટિવ સંખ્યા 4.03.346 થઇ છે છેલ્લા 24 કલાકમાં 35.038 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.04.95.352 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 17518 કેસ, મહારાષ્ટ્ર્રમાં 6753 કેસ,આંધ્રપ્રદેશમાં 1747 કેસ, તામિલનાડુમાં 1830 કેસ,ઓરિસ્સામાં 1917 કેસ,આસામમાં 1621 કેસ, કર્ણાટકમાં 1705 કેસ,મણિપુરમાં 1284 કેસ નોંધાયા છે

(9:43 am IST)