મુખ્ય સમાચાર
News of Monday, 24th June 2019

ચૂંટણીમાં મોદીના નામની સુનામી હતી, અમે ગમે તેમ કરીને બચી ગયાઃ સલમાન ખુરશીદ

કોંગ્રેસ નેતા મોદીના પ્રશંસક બન્યા!

નવી દિલ્હી તા. ર૪: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય પ્રધાન સલમાન ખુરશીદે પોતાના નિવેદનથી પોતાની જ પાર્ટી માટે અજીબ સ્થિતિ પેદા કરી છે. સલમાન ખુરશીદ લોકસભા ચૂંટણીમાં બીજેપીને મળેલી જીત અને તેમની પાર્ટીને મળેલી હાર પર બોલી રહ્યા હતા. સલમાન ખુરશીદે પીએમ મોદીની લોકપ્રિયતાને સ્વીકારતા કહ્યું કે 'ચૂંટણીમાં પીએમ મોદીના નામની સુનામી આવી હતી, અમે બસ કોઇ રીતે જીવતા બચી ગયા'

સલમાન ખુરશીદે કહ્યું કે 'આજે તો અમે બસ એ જાણીએ છીએ કે ચૂંટણી થઇ. લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીની લોકપ્રિયતા એટલી હતી કે તેમની સામે કોઇ ઊભું પણ રહી શકયું નહીં. પરંતુ આ બધા વચ્ચે એક સારી વાત એ છે કે ચૂંટણીમાં સુનામી આવી અને તે બધાને પોતાની સાથે લઇ ગઇ, પરંતુ અમે બધા જીવતા રહ્યા અને તમારી સાથે વાત કરી શકીએ છીએ.' સલમાને આ અગાઉ પણ પોતાના નિવેદનોથી કોંગ્રેસને અજીબો ગરીબ સ્થિતિમાં મૂકી હતી.

(3:57 pm IST)