મુખ્ય સમાચાર
News of Friday, 24th May 2019

પીએમ મોદીએ વારાણસીમાં ૪.૮૦ લાખ મતના માર્જિનથી જીત મેળવી

વારાણસી તા. ૨૪ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીમાં વારાણસીની બેઠક ફરી જીતી લીધી છે. આ વખતે એમણે એમનાં નિકટનાં પ્રતિસ્પર્ધી શાલિની યાદવ (સમાજવાદી પાર્ટી)ને ૪.૮૦ લાખ મતના માર્જિનથી પરાજય આપ્યો છે.

૨૦૧૪ની ચૂંટણીમાં મોદીને ૩,૭૧,૭૮૪ મત મળ્યા હતા. એ વખતે એમણે એમના નિકટના પ્રતિસ્પર્ધી અરવિંદ કેજરીવાલ (આમ આદમી પાર્ટી)ને પરાજય આપ્યો હતો.

આ વખતની ચૂંટણીમાં મોદીને ૬,૭૪,૬૬૪ વોટ મળ્યા છે જયારે શાલિની યાદવને ૧,૯૫,૧૫૯ અને ત્રીજા ક્રમે આવેલા કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને ૧,૫૨,૫૪૮ મત મળ્યા છે.

(10:07 am IST)