મુખ્ય સમાચાર
News of Thursday, 24th May 2018

કર્ણાટકમાં કુમારસ્વામીના શપથ ગ્રહણ સમારોહમાં માયાવતી અને સોનિયા ગાંધી ઉમળકાભેર મળ્યા

મંચ પર બન્ને આવ્યા ત્યારે ખુબ જ આત્મીયતાથી વાતો કરી સોનિયાએ માયાવતીને ગળે લગાડ્યા

નવી દિલ્હી ;કર્ણાટકમાં કુમારસ્વામીના શપથ ગ્રહણમાં લગભગ-લગભગ બધા વિપક્ષના નેતા મંચ પર નજરે પડ્યા હતા  આ દરમિયાન તેમનો એકબીજા સાથેનો વ્યવહાર પણ ચર્ચામાં છે.કાર્યક્રમમાં બસપા સુપ્રિમો માયાવતી અને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી પણ પહોંચ્યા. આ દરમિયાન સોનિયા અને માયાવતી મંચ પર જ્યારે સામસામે આવ્યા તો ખૂબ જ આત્મીયતાથી મળ્યા. સોનિયા ગાંધી મંચ પર જ માયાવતીને ગળે મળ્યા, બંનેએ ઘણી વાર સુધી એકબીજાનો હાથ પકડી રાખ્યો અને હસી હસીને વાતો કરી રહ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધી પણ બાજુમાં ઉભા રહ્યા અને વચ્ચે વચ્ચે હસતા રહ્યા હતા 

   સમારંભમાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવ, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, આરજેડી નેતા તેજસ્વી યાદવ, ડીએમકે નેતા એમકે સ્ટાલિન સહિત વિપક્ષના ઘણા નેતા શામેલ થવા માટે પહોંચ્યા. મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ કુમારસ્વામી 25 મે ના રોજ સદનમાં પોતાનો બહુમત સાબિત કરશે.

(9:44 am IST)