News of Saturday, 24th April 2021
રિલાયન્સ શરૂ કરશે "આર-સુરક્ષા": રિલાયન્સ શરૂ કરશે કોરોના વેકસીનેશન પ્રોગ્રામ"
દેશભરમાં કોરોનાના સંક્ર્મણમાં વધારો થયો છે. દેશમાં વધતા જતા કોરોના સંક્રમણને જોતા દેશમાં કોરોના વેક્સિનેશનનો ચોથો તબક્કો ૧ મેથી શરૂ થશે. આ તબક્કામાં ૧૮ વર્ષથી ઉપરના લોકોને રસી આપવામાં આવશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા તેનાકર્મચારીઓ માટે વેક્સિનેશન પ્રોગ્રામ "આર-સુરક્ષા"ની જાહેરાત કરી છે. જેમાં ૧૮ વર્ષથી ઉપરના બધા કર્મચારીઓ અને તેના પરિવારજનોને ૧ મે થી મફતમાં રસી આપવામાં આવશે.
(12:08 pm IST)