મુખ્ય સમાચાર
News of Saturday, 24th April 2021

આયકર ચોરી રોકવા સીબીડીટીએ નવા દિશા નિર્દેશો જારી કર્યા

ઓ બાપરે... વ્યાજ આવક પાંચ હજારથી વધુ તો બેંકોએ માહિતી આયકર વિભાગને આપવી પડશે

પીપીએફ, સુકન્યા સમૃધ્ધિ ખાતા આ દાયરાથી બહાર : તમામ ડિવિડન્ડની માહિતી પણ આયકરને આપવી પડશે

નવી દિલ્હી તા. ૨૪ : આયકરની ચોરી રોકવા અને રિટર્ન દાખલ કરવાની પ્રક્રિયા સરળ બનાવવા માટે સીબીડીટીએ બેંકો અને કંપનીઓ માટે નવા દિશાનિર્દેશો જારી કર્યા છે.

હવે બેંકોએ પાંચ હજાર રૂપિયાથી વધુ વ્યાજ આવકવાળા ખાતેદારોની માહિતી આવકવેરા વિભાગને આપવાની રહેશે.

બેંકોને બચત ખાતા, રિકરીંગ એકાઉન્ટ, ફિકસ ડિપોઝીટ એકાઉન્ટ સહિત તમામ ખાતામાંથી મળતા વ્યાજની આવકની માહિતી આવકવેરા વિભાગને મોકલવાની રહેશે. પોસ્ટ ઓફિસ, મ્યુચ્યુઅલ ફંડ હાઉસ અને બોન્ડ જારી કરતી કંપનીઓએ પણ આ માહિતી આપવી પડશે.

પીપીએફ, સુકન્યા સમૃધ્ધિ ખાતા, અનિવાસી ખાતા વગેરેથી થનારી વ્યાજની આવકની માહિતી આ દાયરામાં નથી. કંપનીઓએ તમામ ડિવિડન્ડની માહિતી આયકર વિભાગને મોકલવી પડશે. ડિવિડન્ડની હજુ સુધી કોઇ સીમા નક્કી કરવામાં આવી નથી.

(10:57 am IST)