મુખ્ય સમાચાર
News of Wednesday, 24th April 2019

અક્ષય સાથે દિલની વાત : હું સીએમ બન્યો ત્યાં સુધી કોઇ બેંકમાં મારૃં ખાતું ન હતું : મોદી

માતા - પરિવારથી લઇને જીવનશૈલી સુધીના અનેક વ્યકિતગત મુદ્દે વડાપ્રધાન મોદીએ અક્ષય કુમાર સાથે કરી ચર્ચા

નવી દિલ્હી તા. ૨૪ : રેડિયો પર દેશ સાથે મનની વાત કરતા વડાપ્રધાન મોદીએ ફિલ્મ સ્ટાર અક્ષય કુમાર સાથે ખુલ્લા મને દિલની વાતો કરી હતી. અક્ષમ કુમાર સાથે અંગત જીંદગી વિશે કરેલી વાતોમાં વડાપ્રધાન મોદીએ પોતાના માતા, ભાઈ, પરિવાર, જીવન અને અન્ય વાતો કરી હતી. અક્ષય કુમારે પીએમ મોદીની પૂછ્યું હતું કે તમે તમારા માતા સાથે કેમ રહેતાં નથી? તેનો જવાબ પણ પીએમ મોદીએ આપ્યો હતો.અક્ષય કુમારે કહ્યું લોકો તમારા વિશે ઘણું જાણવા માંગે છે, મેં મારા ડ્રાઇવરની દીકરીને પૂછ્યું કે બેટા તમારે વડાપ્રધાન મોદીને પૂછવું હોય તો શું પૂછીશ? વડાપ્રધાને કહ્યું કે હું નાનો હતો ત્યારે કેરી તોડીને ખાતો હતો, હવે વિચારવું પડે છે.

પ્ર : તમે કેરી ખાવ છો ?

જ : હા હું ખાવ છું, કેરી પણ ખાવ છું અને રસ પણ પીવું છું મને ઝાડ પર પાકેલી કેરી ખાવાનો શોખ હતો, એ સમયે હાઇજીનની સમજ પણ નહોતી એટલે કેરી સીધી તોડી અને ખાઈ લેતો હતી. હવે મારે કંટ્રોલ કરવો પડે છે.

પ્ર : આજે બેંક બેલેન્સ કેટલું?

જ : મુખ્યમંત્રી બન્યા સુધી મારૂ કોઈ બેંક ખાતું હતું. નાનો હતો ત્યારે સ્કૂલમાં દેના બેંકની બ્રાંચ ખુલી હતી, ત્યારે દરેક બાળકોને દેના બેંકે ગલ્લો આપ્યો હતો. ત્યારે મેં પણ ગલ્લો લીધો હતો. પરંતુ મારી પાસે તો પૈસા જ ન હતા તો શું આવે. બેંકે ખાતું તો ખોલી દીધું પણ પૈસા જ ન હતા તો શું જમા કરાવું. હું સીએમ બન્યો ત્યારે પગાર આવ્યો એટલે ખાતું ખુલી ગયું હતું. જયારે હું નીકળ્યો ત્યારે મેં મારા અધિકારીઓને બોલાવીને કહ્યું કે મારે પૈસાનો કોઈ ઉપયોગ નથી. આ રકમ મારે જમા આપી દેવી છે. અધિકારીએ કહ્યું કે તમારા પર કોર્ટ કેસ ચાલી રહ્યાં છે, પદ પર નહીં રહો તો શું થશે? પૈસા કયાંથી લાવશો? એટલે મેં સંપૂર્ણ રકમ આપવાના બદલે રૂ. ૨૧ લાખ આપ્યા. આ રકમ મેં મારા સચિવાલયના ડ્રાઇવરો, પટ્ટાવાળાની દીકરીઓનાં શિક્ષણ માટે પૈસા આપી દીધા.

પ્ર : તમે આકરા માસ્તર છો?

જ : હા, હું કડક વહીવટકર્તા છું, પરંતુ આકરા હોવું અલગ વાત છે. હું મારી ટીમ તૈયાર કરાઉં છું, મારૂ પ્રેસર હોય છે, ગુસ્સો આવતો હશે પરંતુ હું વ્યકત કરતો નથી. જો તમે ગુસ્સો કરો છો તો મીટિંગનો એજન્ડા દૂર થઈ જાય છે.

પ્ર : મને ગુસ્સો આવે ત્યારે હું બોકિસંગ બેગ પર ગુસ્સો ઉતારૂ છું, દરિયા કિનારે જઈને રાડો પાડું છું, તમે શું કરો છો?

જ : મને ગુસ્સો આવે છે ત્યારે હું કાગળ લઈને બેસતો હતો, કેવી રીતે થયું, શા માટે થયું, સમગ્ર ઘટના કાગળમાં લખતો હતો. બાદમાં તેને ફાડીને ફેંકી દેતો હતો. આખી કથા લખતો હતો. સમગ્ર ઘટનાક્રમને જીવંત કરી દેતો હતો. આના કારણે મારી લાગણીઓ શમી જતી હતી અને તેમાંથી હું જાણી લેતો હતો કે મારી ભૂલ શું છે.

પ્ર : તમારૂ ઘર છે, માતા, તો તેમની સાથે રહેવાની ઇચ્છા નથી થતી?

જ : હું નાની ઉંમરે ઘર છોડી ચુકયો છું એટલે મને લગાવ, મોહ, માયા એવું કઈ નથી. મારી તાલિમ એવી થઈ છે. હવે જીવન એવું થઈ ગયું છે. મારા માતાને બોલાવી લઉ પરંતુ માતાજીએ કહ્યું કે હું અહીંયા રહીને શું કરીશ.

(4:16 pm IST)