News of Wednesday, 24th April 2019
મતદાન બાદ રોડ-શો કરવા બાબતે વડાપ્રધાન મોદીને રાહતઃ કેન્દ્રિય ચૂંટણી પંચે કિલનચીટ આપી
મતદાન કર્યા બાદ કરેલો રોડ-શો આચારસંહિતાનું ઉલ્લંઘન નથી
નવી દિલ્હી, તા.૨૪: ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને કલીનચીટ આપી છે. ચૂંટણી પંચે કહ્યું કે પીએમ મોદીએ અમદાવાદમાં મતદાન કર્યા બાદ કરેલો રોડ-શો આચારસંહિતાનું ઉલ્લંઘન નથી.
પીએમ મોદીએ અમદાવાદમાં મતદાન કર્યા બાદ રોડ શો કર્યો. જેને લઇને કોંગ્રેસ ભડકી ઉઠી હતી. દિલ્હીમાં અભિષેક મનુ સિંઘવીના નેતૃત્વમાં કોંગ્રેસનું એક ડેલીગેશન મુખ્ય ચુંટણી પંચને મળીને પીએમ મોદી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ કરી હતી. અને કોંગ્રેસે પીએમ મોદીના પ્રચાર પર ૪૮થી ૭૨ કલાક સુધી પ્રતિબંધ ફરમાવવા અપીલ કરી હતી.
(3:49 pm IST)