News of Tuesday, 24th April 2018
ઉત્તર પ્રદેશના સુલતાનપુર અને ગાજીયાબાદમાં યોગી આદિત્યનાથ સામે કાળા વાવટા ફરકાવાયાઃ સમાજવાદી પાર્ટીના કાર્યકરોને પોલીસે માર માર્યો
સુલતાનપુરઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે સુલતાનપુર અને ગાજીયાબાદમાં કાળા વાવટા ફરકાવીને સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો.
જોકે વિરોધ કરી રહેલા સમાજવાદી પાર્ટી કાર્યકર્તાઓને દોડાવી-દોડાવીને પોલીસે માર્યા હતા. સમાજવાદી પાર્ટીના કાર્યકર્તોએ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના કાફલાને રોકવાનો પ્રયાસ કર્યો હતો. સપા કાર્યકર્તાઓ યોગી સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. જે બાદ સપા કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા ગાજિયાબાદમાં યોગી આદિત્યનાથનો કાળા વાવટા ફરકાવી વિરોધ કરવામાં આવ્યો હતો, યોગી ગાજિયાબાદમાં એલિવેટેડ રોડનું ઉદ્ધાટન કરવા માટે પહોંચ્યા હતા. જ્યા તેમને વિરોધનું ભોગ બનવુ પડ્યું હતું.
(5:55 pm IST)