મુખ્ય સમાચાર
News of Tuesday, 24th April 2018

મધ્યપ્રદેશ ભાજપ સરકારના કેટલાક પ્રધાનોને તગેડી મૂકાશે

આજે નરેન્દ્રભાઇ આવી રહ્યા છે ત્યારે તખ્તો તૈયાર

ભોપાલ : મધ્યપ્રદેશની શિવરાજ સરકારમાં છેલ્લે ફેરબદલી આવી રહી છે. આ વખતે વિસ્તરણ નહિ થાય, પરંતુ ૩ થી પ પ્રધાનોને રવાના કરી દેવાશે . આવા પાંચ પ્રધાનોના નામો ભાજપ હાઇકમાન્ડને-અમિતભાઇને મોકલી અપાયા છે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ આજે મધ્યપ્રદેશના પ્રવાસે આવ્યા છે ત્યારે આ ફેરફારો અંગે તેમની સાથે ચર્ચા કરી અંતિમ નિર્ણય લેવાશે. ત્રણેક પ્રધાનોને રવાના કરાય અને બેક નવા પ્રધાનો લેવાય તેવી પણ ચર્ચા છે

(4:03 pm IST)