મુખ્ય સમાચાર
News of Tuesday, 24th April 2018

૪૮ કલાકમાં ૨૨ નકસલી ઠાર

મુંબઇઃ મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં સુરક્ષા દળોએ વધુ ૬ નકસલવાદીઓને ફૂંકી માર્યા છે. અગાઉ રવિવારના રોજ કર્ણાસુર જંગલમાં સુરક્ષા દળોએ ૧૬ નકસલવાદીઓને ઠાર કર્યા હતા. છેલ્લા ૪૮ કલાકમાં સુરક્ષા દળોએ ૨૨ નકસલવાદીઓને ફુંકી માર્યા છે. સોમવારે અહારી તાલુકાના રાજારામ ખલ્લા ગામમાં ૬ માઓવાદીઓએ ભારે પથ્થરમારો કર્યો હતો.

(4:03 pm IST)