News of Tuesday, 24th April 2018
AIADMKના મુખપત્રના સ્થાપક અને સબ એડિટરની હકાલપટ્ટી:ભાજપ સાથે સબંધના દાવા બાદ કાર્યવાહી
ચેન્નાઇ તા; 24 ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ (એઆઈએડીએમકે )એ પોતાના મુખપત્ર નમાથું અમ્માના સ્થાપક થિરુમલાઈ અને સબ એડિટરની હકાલપટ્ટી કરી છે આ કાર્યવાહી એટલા માટે કરાઈ હતી કારણ કે સમાચારપત્રમાં એક લેખ છપાયો હતો જેમાં કહેવાયું હતું કે ભાજપ અને પાર્ટી વચ્ચે સબંધ છે આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સોમવારે પ્રશંશા કરાઈ હતી તેનાથી નારાજ પાર્ટીએ સ્થાપક અને સબ એડિટરને હાંકી કાઢ્યા છે
પાર્ટીના મુખપત્રને પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના જન્મદિન 24 ફેબ્રુઆરીએ લોન્ચ કરાયું હતું પાર્ટીએ અખબારની સાથે એક ટીવી ચેનલ પણ શરુ કરી છે
(1:39 pm IST)