મુખ્ય સમાચાર
News of Tuesday, 24th April 2018

આસારામ કેસનો કાલે ચુકાદોઃ ચુસ્ત સુરક્ષા

જોધપુર જેલ સંકુલમાં જ ચુકાદો સંભળાવાશેઃ આસારામ દોષિત સાબિત થાય તો ૧૦ વર્ષ સુધીની જેલ

જોધપુર તા. ર૪ :.. દુષ્કર્મ મામલામાં ફસાયેલા આસારામબાપુના કેસનો કાલે ચુકાદો આવશે. તનાવની સ્થિતિને ધ્યાનમાં રાખીને જોધપુર જેલ સંકુલમાં જ ચૂકાદો સંભળાવવામાં આવશે. સમગ્ર જોધપુર પંથકમાં ચુસત સુરક્ષા ગોઠવી દેવાઇ છે. આસારામ દોષિત સાબિત થાય તો તેમને ૧૦ વર્ષ સુધીની જેલ સજા થઇ શકે છે.

(11:30 am IST)