News of Tuesday, 24th March 2020
ભારતમાં હન્ટાથી કોઇ જ દહેશત ન હોવાનો ધડાકો
માનવીથી માનવીમાં ફેલાતો નથી
નવીદિલ્હી, તા. ૨૪ : હન્ટા વાયરસને લઇને હવે ચર્ચા છે. ભારતને કેટલો ખતરો છે તેને લઇને પણ ચર્ચા છેડાઈ છે. આ વાયરસ ઉંદરોમાં જોવા મળે છે. માનવીમાં તેના ઇન્ફેક્શનના કેસ દુર્લભ રહેલા છે. કારણ કે સૂર્યપ્રકાશની રોશનીમાં આવ્યા બાદ આ વાયરસ ખતમ થઇ જાય છે. એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં આ વાયરસ ફેલાતો નથી. નોવેલ કોરોના વાયરસ બાદ આ વાયરસ સપાટી ઉપર આવ્યો છે. તમામ લોકો જાણે છે કે, વર્ષ ૨૦૦૮માં તમિળનાડુમાં હન્ટા વાયરસ ફેલાયો હતો. મુંબઈમાં ૨૦૧૬માં એક વ્યક્તિનું મોત પણ થયું હતું. રિપોર્ટ મુજબ ફેફસાથી બ્લિડિંગ આ રોગમાં થાય છે. ભારતમાં આ પ્રકારના રોગનો ખતરો રહેલો નથી. તમિળનાડુના વેલ્લોર જિલ્લામાં હન્ટા વાયરસ ફેલાયો હતો. તે વખતે ઇરુલ્લા સમુદાયના ૨૮ લોકો અસરગ્રસ્ત થયા હતા.
(7:59 pm IST)