News of Wednesday, 24th February 2021
જમ્મુ કાશ્મીરના શાલગુલ જંગલોમાં અથડામણ
અનંતનાગમાં ૪ આતંકીઓ ઠાર
જમ્મુ કાશ્મીરના અનંતનાગના શોલગુલ શ્રનિગુફવારાના જંગલમાં છુપાયેલા ૪ આતંકવાદીઓ સુરક્ષાદળો સાથેની અથડામણમાં ઠાર મરાયા છે. તેની ઓળખ થઈ નથી. મૃતદેહો - હથિયારો કબ્જે લેવાયા છે. જંગલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. વધુ આતંકીઓ છુપાયાની સંભાવના છે. આ જંગલોમાં કેટલાક શંકાસ્પદ આતંકીઓની હિલચાલ હોવાની બાતમીના આધારે ઓપરેશન હાથ ધરાયેલ. જમ્મુ કાશ્મીર પોલીસની, એસઓજી તથા લશ્કરની ૩ આરઆર અને સીઆરપીએફની એક ટુકડી શાલગુલના જંગલોમાં પહોંચી ગયેલ. આતંકીઓ નજીક પહોંચતા જ ત્રાસવાદીઓએ ગોળી વરસાવવાની શરૂ કરેલ. જવાબી કાર્યવાહીમાં ૪ ઠાર થયા હતા.
(2:32 pm IST)