મુખ્ય સમાચાર
News of Wednesday, 24th February 2021

પૂર્વ ડીજી રાજકોટના પૂર્વ પોલીસ કમિશ્નર ચિતરંજન સિંગનું નિધન

ચંદીગઢ હોસ્પિટલમાં વહેલી સવારે છેલ્લા શ્વાસ લીધાઃ વતન પંજાબમાં ભટીડામાં અંતિમ સંસ્કાર

રાજકોટ તા.૨૪:  રાજય પોલીસ તંત્રના સિનિયર આઇપીએસ અને પૂર્વ ડીજીપી અને એસીબી વડાં ચિતરંજન સિંગનુ નિધન વતન એવા પંજાબમાં થયુ છે.                       

પંજાબના ચંદીગઢ ખાતે તેમની તબિયત બગડતાં મોડી રાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જયાં વહેલી સવારે ૪:૩૦ આસપાસના સમયમાં તેવા દ્વારા પોતાના પ્રાણ તજયા હતા.             

ભૂતકાળમાં અનેક રાજકીય મહાનુભાવો સાથે ઘરોબો ધરાવી ચૂકેલ ચૂકેલ ચિત રંજન સીગ નિવૃતિ બાદ પણ પોતાના વિચારો બેબાક રીતે સોશ્યલ મીડિયાના માધ્યમથી રજૂ કરતાં હતાં.

૧૯૭૬ બેચના સ્વ.ચિત રંજન સીંગની અંતિમ ક્રિયા પંજાબના ભટીડા ખાતે રખાય છે. સંપર્કનં.(૧) સુરજ મો.૦૯૯૦૯૯ ૯૫૯૧૧, (૨) હરકમલ સિંગ (પુત્રી) મો.૯૦૫૪૪ ૪૪૪૯૬

(11:45 am IST)