ઝારખંડમાં એનઆરસી સમર્થન રેલી ઉપર પથ્થરમારોઃ વાહનોમાં તોડફોડ-આગજની
રાચીઃ ઝારખંડના લોહરદગા જીલ્લામાં એનઆરસીના સમર્થનમાં નિકળેલ રેલી દરમિયાન બે જુથો વચ્ચે વિવાદ બાદ આગજની પથ્થરમારો અને વાહનોમાં તોડફોડ થઇ હતી.રેલી દરમિયાન એક જુથ દ્વારા પથરાવ બાદ સ્થિતિ નિયંત્રણ બહાર થઇ હતી. બંને તરફ જોરદાર પથ્થરમારો થયેલ. ઘટનાસ્થળે પહોંચેલ પોલીસે બળ પ્રયોગ કરી અનેક રાઉન્ડ ફાયરીંગ કર્યું હતુ. તોફાનીઓએ વાહનોમાં તોડફોડ કરી હતી અને ડઝનબંધ વાહનોમાં આગ લગાડેલ. જેથી સમગ્ર વિસ્તારમાં તંગદીલી વ્યાપી ગયેલ. બંને જુથના અનેક લોકો ઘાયલ થયેલ.જીલ્લા પોલીસવડા આકાંક્ષા રંજન અને ઉચ્ચ અધિકારીઓ સ્થિતિને કાબુમાં લેવા સ્થળ ઉપર હાજર રહેલ. તેમણે લોકોને શાંતિ જાળવવા અપીલ કરેલ. તોફાનીઓએ એસપી ઉપર હુમલો કરતા તેમના બોડીગાર્ડને ઇજા પહોંચેલ. ઘટના બાદ વિસ્તારમાં સીઆરપીએફના જવાનો તૈનાત કરી દેવાયેલ. પોલીસે અશ્રુગેસના સેલ પણ છોડયા હતા.