મુખ્ય સમાચાર
News of Friday, 24th January 2020

આવી સ્ત્રીઓ બળાત્કારીઓને જન્મ આપે છેઃ કંગના રનૌત ખુશી થઈ કોઈ સાથે ઉભુ રહ્યુઃ નિર્ભયાની માતા

ઈન્દીરા જયસિંહની નિર્ભયાની માતાને માફીની સલાહથી વિફરી અભિનેત્રી

નવીદિલ્હીઃ પ્રસિધ્ધ વકીલ ઈન્દીરા જયસિંહે નિર્ભયાની માતાને સોનીયા ગાંધીનું ઉદાહરણ આપી દોષીઓને માફ કરી દેવાની સલાહ આપી હતી. આ સલાહથી બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત વિફરી છે અને જણાવેલ કે તેમને (ઈન્દીરા જયસિંહ) ચાર દિવસ સુધી દોષીઓની સાથે રાખવા જોઈએ. ઈન્દીરા જેવી સ્ત્રીઓ જ બળાત્કારીઓને જન્મ આપે છે.

કંગનાના નિવેદન અંગે નિર્ભયાની માતાએ જણાવેલ કે ખુશી થઈ કે કોઈ તો સાથે ઉભુ રહ્યું. હું કંગનાની વાત સાથે સહેમત છું.

(1:08 pm IST)