News of Wednesday, 23rd December 2020
અમિતભાઇ ૧ર જાન્યુઆરીએ ફરી બંગાળ જશેઃ હાવડામાં જનસભા
નવી દિલ્હી તા. ર૩ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ વિવેકાનંદ જયંતી ૧ર જાન્યુઆરીના રોજ ફરી પશ્ચિમ બંગાળમાં મમતા વિરૂદ્ધ મોરચો ખોલશે. ચૂંટણી રણનીતી હેઠળ અમિતભાઇનો દર મહિને બંગાળમાં કાર્યક્રમ નકકી થયો છે. તેઓ સ્વામી વિવેકાનંદ જયંતી ઉપર યુથ ફેસ્ટીવલમાં મુખ્ય અતિથી રૂપે સામેલ થશે અને હાવડામાં જનસભા સંબોધશે.
તેમની નવા વર્ષની શરૂઆતમાં બંગાળ પ્રવાસ માટે વ્યવસ્થા અંગે કેન્દ્રીય મંત્રીઓને જવાબદારી સોંપાઇ છેતેઓ અમિતભાઇના રોડ-શો, સભામાં મોટા જન સમર્થન અંગે વ્યવસ્થા ગોઠવશે. ઉપરાંત પ્રવાસ દરમિયાન બંગાળની પ્રખ્યાત હસ્તીઓ સાથે અમિતભાઇના ભોજન કે ચા ના કાર્યક્રમો પણ ગોઠવાશે.
(12:36 pm IST)