News of Monday, 23rd November 2020
મધ્યપ્રદેશમાં ગૌ સંવર્ધન માટે ગૌમાતા ટેકસ વસુલવાનું શરૂ
આંગણવાડીઓમાં ઇંડાની જગ્યાએ અપાશે દુધ
નવી દિલ્હી તા. ૨૩ : મધ્ય પ્રદેશ સરકારે ગૌ-ટેકસ વસુલવાનું શરૂ કરી દીધુ છે. આ રીતે એકત્ર થનાર ભંડોળનો ઉપયોગ ગૌ સંવર્ધન માટે કરાશે. તેમ આગ્રા ખાતે ગો અધિનિયમ બનાવવાની ઘોષણા કરતા મુખ્યમંત્રીશ્રી શિવરાજે જણાવ્યુ હતુ.
સાથો સાથ ગૌ સદન બનાવવા તેમજ આંગણવાડીઓમાં ઇંડા વિતરણના સ્થાને હવેથી દુધ વિતરણ કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. ગૌવંશની સારવાર માટે સંજીવની યોજના તેમજ પંચાયતોમાં ગૌવંશ માટે રાજય વિત્ત આયોગ ફંડની વ્યવસ્થા કરાશે. તેમ પણ જણાવ્યુ હતુ.
(12:46 pm IST)