'મોદી કેર' હેઠળ હવે પ્રાઇવેટ હોસ્પિટલને ઇન્સેન્ટિવ મળશે
યોજનાને વધુ સફળ બનાવવા મોદી સરકાર દ્વારા પ્રાઇવેટ હોસ્પિટલને ઇન્સેન્ટિવ આપવા વિચારણા
નવી દિલ્હી તા. ર૩ :.. સપ્ટેમ્બર -ર૦૧૮ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયુષ્માન ભારત યોજના લોન્ચ કરી હતી કે જે મોદી કેર તરીકે પણ ઓળખાય છે, પરંતુ યોગ્ય જાણકારી અને જાગરુકતાના અભાવે લોકોને આ યોજનાનો યોગ્ય લાભ મળી રહ્યો નથી. આ સંજોગોમાં સરકારે ખાનગી હોસ્પિટલને પણ ઇન્સેન્ટિવ આપવા નિર્ણય કર્યો છે, જેથી વધુ ને વધુ લોકો મોદી કેર યોજનાનો લાભ મેળવી શકે.
નેશનલ હેલ્થ ઓથોરીટી (ેએનએચએ) અનુસાર આ પ્રોગ્રામ હેઠળ લગભગ ર૦ હજાર હોસ્પિટલ રજિસ્ટર્ડ છે., જેમાંથી ૬૦ ટકા પ્રાઇવેટ છે. આ સંજોગોમાં હવે પ્રાઇવેટ હોસ્પીટલની ભાગીદારી વધારવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.મોદી કેર યોજના માટે પ્રાઇવેટ હોસ્પિટલની ભાગીદારી વધારવાથી આ પ્રોગ્રામને વધુ સફળતા મળવાની શકયતા છે. આ નાણાકીય વર્ષમાં આ યોજના માટે રૂ. ૬ર૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. આ યોજના હેઠળ એક પરિવારને રૂ. પાંચ લાખનો હેલ્થ ઇન્સ્યોરન્સ મળે છે.