એક વર્ષ પહેલા ચૂંટણી દરમિયાન હું તેમના આશ્રમે ગયો હતો : નિત્યાનંદ સાથે તસ્વીર વાયરલ થતા ડી,કે,શિવકુમારની સ્પષ્ટતા
અમે અન્ય કેટલાક સારા લોકો સાથે પણ મુલાકાત કરી હતી કે જેઓ અમારા મતવિસ્તારમાં આવતા હતા
નવી દિલ્હી : કર્ણાટક કોંગ્રેસના દિગજ્જ નેતા ડી.કે. શિવકુમારે વિવાદોમાં ઘેરાયલે સ્વયંભૂ બાબા નિત્યાનંદ સાથેની તસવીરો વાયરલ થવા મુદ્દે સ્પષ્ટતા કરી છે. ડી.કે. શિવકુમારે જણાવ્યું કે મેં સ્વામી નિત્યાનંદ સાથે અંદાજે એક વર્ષ પહેલા કેટલીક મિનિટો માટે મુલાકાત કરી હતી. ચૂંટણી દરમ્યાન હું તેમના આશ્રમ ગયો હતો. અમે અન્ય કેટલાક સારા લોકો સાથે પણ મુલાકાત કરી હતી કે જેઓ અમારા મતવિસ્તારમાં આવતા હતા. મને તેમની સાથે જોડાયેલા મામલાની કોઇ જાણકારી નથી તેમ ડી.કે. શિવકુમારે જણાવ્યું હતું
. આ પહેલા ગુજરાત પોલીસે જાણકારી આપી હતી કે નિત્યાંનદ દેશ છોડી ફરાર થઇ ગયો છે. નિત્યાનંદ વિરૂદ્ધ અમદાવાદ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમના પર આરોપ છે કે તે પોતાનો આશ્રમ ચલાવવા માટે બાળકોનું અપહરણ કરી તેમને શ્રદ્ધાળુઓ પાસેથી દાન એકત્ર કરવા મજબૂર કરતો હતો.