મુખ્ય સમાચાર
News of Saturday, 23rd October 2021

કેરળમાં કોરોનાનો કહેર પણ દેશમાં મૃત્યુઆંક વધ્યો : દેશમાં નવા 16.291 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 17.614 દર્દીઓ રિકવર થયા : વધુ 666 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.53.742 થયો :એક્ટીવ કેસ 1.67.430 થયા : કુલ કેસની સંખ્યા 3.41.58.772 થઇ

સૌથી વધુ કેરળમાં 9361 કેસ, મહારાષ્ટ્ર્રમાં 1632 કેસ,તામિલનાડુમાં 1152 કેસ, પશ્ચિમ બંગાળમાં 846 કેસ, મિઝોરમમાં 737 કેસ, આંધ્રપ્રદેશમાં 478 કેસ, ઓરિસ્સામાં 467 કેસ, કર્ણાટકમાં 378 કેસ, આસામમાં 315 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી. દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો હતો દેશમાં કોરોનાનાં નવા 16.291 કેસ નોંધાયા છે. જ્યારે 17.614 દર્દીઓ રિકવર થયા છે

  દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 16.291 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 666 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.53.742 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 16.291 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.41.58.772 થઇ છે, એક્ટિવ સંખ્યા 1.67.430 થઇ છે છેલ્લા 24 કલાકમાં 16.291 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.35.24.447 લોકોએ કોરોનાને મહાત આપી છે
  દેશમાં સૌથી વધુ કેરળમાં 9361 કેસ, મહારાષ્ટ્ર્રમાં 1632 કેસ,તામિલનાડુમાં 1152 કેસ, પશ્ચિમ બંગાળમાં 846 કેસ, મિઝોરમમાં 737 કેસ, આંધ્રપ્રદેશમાં 478 કેસ, ઓરિસ્સામાં 467 કેસ, કર્ણાટકમાં 378 કેસ, આસામમાં 315 કેસ નોંધાયા છે

(1:06 am IST)