રાજકોટ શહેર-જીલ્લામાં કોરોનાનો મૃત્યુ ગ્રાફ ઘટયોઃ આજે માત્ર ૬ મોત
તંત્રનાં ચોપડે ગઇકાલે ૯ મોત પૈકી ૨ કેસની નોંધ : શહેર - જીલ્લાની કોવીડ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ૧૮૯૯ બેડ ખાલી
રાજકોટ, તા. ૨૩: વૈશ્વિક મહામારી કોરોનાથી શહેર અને જીલ્લામાં છેલ્લા સપ્તાહમાં મુત્યુની સંખ્યામા સતત વધ - ઘટ જોવા મળી રહી છે ત્યારે આજે વધુ ૬ ના મોત થયા છે.
સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે કોરોનાથી એકં મૃત્યુની નોંધ થઇ છે.
આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૨૨નાં સવારે ૮ વાગ્યાથી તા.૨૩ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં ૬ દર્દીઓએ દમ તોડી દીધા હતો.
તંત્રની સતાવાર યાદીમાં કોવીડ-નોન કોવીડ થી શહેર-જીલ્લામાં ૬ નાં મૃત્યુ જાહેર થયા છે. જયારે તે જ યાદીમાં સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે કોરોનાથી ૯ પૈકી એક મૃત્યુ જાહેર કરવામાં આવ્યા છે.
કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમા ૧૮૯૯ બેડ ખાલી છે.
શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે જયારે રવિવારે - ૬ , સોમવારે- ૭ , મંગળવારે-૫ તથા બુધવારે - ૮ તથા ગુરૂવારનાં ૯ દર્દીઓનાં મૃત્યુ થયા છે.