મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd October 2018

ગૃહમંત્રી રાજનાથ સિંહે કરી ઓમર અબ્દુલ્લા સાથે મુલાકાત: રાજ્યની સ્થિતિ અંગે કરી ચર્ચા

નવી દિલ્હી :કેન્દ્રના ગૃહમંત્રી રાજનાથ સિંહે જમ્મુ-કાશ્મીરની મુલાકાત વેળાએ પૂર્વ મુખ્યપ્રધાન અને નેશનલ કોન્ફ્રેન્સના નેતા ઓમર અબ્દુલ્લા સાથે મુલાકાત કરી હતી  અને રાજ્યની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી તમામ પક્ષો સાથેની બેઠક બાદ રાજનાથ સિંહે રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર કહ્યું કે ચૂંટણી દરમિયાન હિંસાની કોઇ ઘટના બની નથી.

  તેમણે જણાવ્યું કે રાજ્યની સુરક્ષા વ્યસ્થામાં છેલ્લા ચાર મહિનામાં ઘણા ફેરફાર થયા છે. પત્થરમારાની ઘટનાઓમાં ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત આતંકવાદીઓની ભરતીમાં પણ ઘટાડો નોંધાયો છે. આ દરમિયાન રાજનાથ સિંહે કુલગામ વિસ્ફોટમાં મોતને ભેટેલા લોકોના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાનું એલાન કર્યું.

(11:42 pm IST)