પશ્ચિમ બંગાળના સંતરાગાછી રેલવે સ્ટેશન ઉપર ટ્રેન પકડવા ભાગદોડ: બેના મોત: 35 લોકો ઘાયલ
નાગરકોયલ એક્સપ્રેસ ઉભી રહેતા યાત્રીઓ એક જ સીડીમાંથી બહાર નીકળવા જતા ભાગદોડ
કોલકતા :પશ્ચિમ બંગાળમાં હાવડાના સંતરાગાછી રેલવે સ્ટેશન પર ટ્રેન પકડવાને લઈને ભાગદોડ થતા બે લોકોના મોત નિપજ્યા છે જયારે 35થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે
જાણવા મળતી વિગત મુજબ હાવડાના સંતરાગાછી રેલવે સ્ટેશન પર સાંજે ટ્રેન પકડવાને લઈને ભાગદોડ થઈ હતી. જેમાં 2 લોકોના મોત અને 35 લોકો ઈજાગ્રસ્ત થયા છે ઘટનાની જાણ થતા સ્થળ પર પોલીસ અને રેલવે અધિકારીઓની ટીમ પહોંચી ગઈ છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે
મળતી જાણકારી પ્રમાણે મુસાફરો પ્લેટફોર્મ બે અને ત્રણ પર ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા તે સમયે ભાગદોડ થઈ હતી. નાગરકોયલ એક્સપ્રેસ ઉભી રહેતા જ યાત્રીઓ એક જ સીડીથી બહાર નિકળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. સ્ટેશન ઉપર ભીડ એટલી બધી હતી કે કેટલાક લોકો પડી ગયા હતા. લોકો પડતા ચિલ્લાવાનું શરૂ થયું હતું અને ભાગદોડ થઈ હતી.